પાણી પુરવઠા શાખા
પાણી પુરવઠા શાખા નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને નિયમિત અને શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે. આ શાખા દ્વારા પાણી સંબંધિત તમામ કામગીરીનું સંચાલન કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- નગર વિસ્તારમાં સ્વચ્છ અને સતત પાણી પુરવઠો જાળવી રાખવો.
- પાણીની ટાંકી, બોરવેલ, પંપ હાઉસ અને પાઇપલાઇનની જાળવણી તથા મરામત કરવી.
- નવા પાણી કનેક્શન માટે અરજીઓ સ્વીકારી અને તેનું નિરાકરણ કરવું.
- લીકેજ, પાઇપ તૂટફૂટ અને પાણી સંબંધિત ફરિયાદોનું સમયસર નિવારણ કરવું.
- પાણી વેરા સંબંધિત માહિતી અને તકનીકી કામગીરીનું સંચાલન કરવું.
પાણી પુરવઠા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ અધિકારીનો સંપર્ક કરવો.
